વાંકાનેર: વાંકાનેર ના હસનપર ગામ માં ભારત સરકાર દ્વારા પશુપાલકોને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામા હસનપર તમે તારીખ 27 8 2021 ના રોજ શુક્રવારે સવારે 11:00 ભારત સરકાર દ્વારા ઓનલાઇન પશુપાલકો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું જેમાં પશુપાલક માલધારી સમાજના લોકો અને ગામના આગેવાનો અગ્રણીઓ હાજરી આપી હતી જેમાં નેશનલ લાઈવ સ્ટોક મિશન(MLM) અને રાષ્ટ્રીય ગોકુલ મિશન(RGM) ના આગામી પાંચ વર્ષના આયોજનનું સી.એસ.સી સેન્ટર ખાતેથી લાઈવ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો છે જેમાં મરઘા ઘેટા બકરા તેમજ ઘાસચારાના વિકાસ અંતર્ગત વિવિધ યોજનાઓ ની વિગત આપવામાં આવી હતી એમાં વાંકાનેરના હસનપર ખાતે ડૉ.વિમલ વસીયાણી અનેડૉ. સંજય ગોંડલીયા સાથે તલાટી મંત્રી ટી.જે. ડોડીયા સહિતના ઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જેમાં માલધારી સમાજના નરસિંહભાઇ ખરગીયા ભાયાભાઈ બાંભવા ટીસા ભાઇ બાંભવા અતુલભાઇ ખરગીયા મનુભાઈ ભગત વિગેરે અગ્રણીઓ માલધારી આગેવાનો હાજર રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં નજરે પડે છે રિપોર્ટ:અશોક મકવાણા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ