“છેલ્લા દોઢ મહિનાથી શ્ર્વાસની તકલીફ હોવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ગઇકાલે બપોરે દોઢ વાગ્યે 73 વર્ષની ઉમરે અંતિમ શ્ર્વાસ લીધા” રાજકોટ : કલાજગત માટે દુ:ખદ સમાચાર છે. રંગભૂમિ પર પરદા આગળ અને પરદા પાછળ કિરદાર નિભાવતા કિશોરભાઈ સચદેનું નિધન થયું છે. કિશોરભાઈ છેલ્લા દોઢ મહિનાથી શ્વાસની તકલીફ હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આજે બપોરે દોઢ વાગ્યે 73 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લેતા કલાજગતમાં શોકની લાગણી છવાઈ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રંગભૂમિના ક્ષેત્રે આગવું નામ ધરાવતા કિશોરભાઈ સચદે ’બાબલો’ના હુલામણા નામથી જાણીતા હતા. કિશોરભાઈ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી નાટક ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. રાજકોટને જ જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવનાર કિશોરભાઈએ ગુજરાત અને મુંબઇના અનેક નાટકોના સેટની ડિઝાઇન તૈયાર કરી હતી. પિતા પગલે ચાલી સેટ ડિઝાઈનિંગનું કાર્ય કરતા ચિરાગ સચદેએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે, તેમના પિતા કિશોરભાઈને શ્વાસની તકલીફ થતા છેલ્લા દોઢ મહિનાથી ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબિયત સુધારા પર હોવાથી તેમને ઘરે લાવવામાં આવ્યા હતા અને અહીંથી તેમની સારવાર ચાલુ હતી. ગઇકાલે બુધવારે બપોરે દોઢ વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.સૌરાષ્ટ્રની કલા પ્રવૃત્તિ જેના નામે સુપેરે પરિચિત છે તેવા કિશોર સચદેની ઓચિંતી વિદાયથી કલાકારો, આ ક્ષેત્ર સાથે જોડાયેલા કસબીઓ અને સુજ્ઞ પ્રેક્ષકો સહિત સચદે પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થયો છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ