Nari Aawaj

News Website

*નાના માંઢા ગામમાં પ્રજા માટે મોટી સમસ્યા અંગે ગ્રામજનોએ કરી રાવ*

Views: 100
0 0
Spread the love

Read Time:2 Minute, 33 Second

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં ભ્રષ્ટાચારની મહેકાવી હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓને નાના માંઢા ગામની મોટી ફરિયાદ એટલે કે ભ્રષ્ટાચાર જેવી રાવ કરી છે જેમાં પ્રજાહિત કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી લેખિતમાં રાવ કરી તપાસની માગણી કરી છે સંતોષકારક તપાસ નહીં થાય તો ગાંધીજી આ માર્ગ અપનાવવા પડશે અને જરૂર પડી એ કોર્ટ માં ન્યાય ની ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારણ કરી છે વધુ માં જાણવા મળતી વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નાનકડા એવા નાના માંઢા ગામ ખાતે પ્રજાહિત કાર્યો માટે આરસીસી પેવર બ્લોક મા ભ્રષ્ટાચાર ના પોપડા વિકાસ લક્ષી સરકારના રાજમાં ખરી પડ્યા હોય તેમ જે માલ મટીરીયલ એસ્ટીમેટ મુજબ વાપરેલા ના હોવાના કારણે તે રોડ રસ્તા માર્ગ માં લોટ પાણીને લાકડા નો વપરાશ થતા હોવાથી ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડે તેવા ભય અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પ્રયાસો અંતર્ગત મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરેલ હોય છતા ગામ્ય વિસ્તારમાં ભષ્ટાચાર ના પોપડા અટકવાનું નામ જ લેતું નોહોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નાના એવા નાના માંઢા ગામ ખાતે ફરિયાદ ઉઠવા પામી છે એન્જીનીયરો ની ટકાવારી અને કોન્ટ્રાક્ટ ની કૃપાથી તલાટી મંત્રી અને સરપંચની દ્વારા માત્ર કાગળ ઉપર જ વિકાસ થતો હોય એમ લોકો મહેસૂસ કરતા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માગણી મૂકવામાં આવી છે જે આવેદનપત્ર પાઠવતા તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love