*તા.૫/૫/૨૫ થી તા.૭/૫/૨૫ … બ્રહ્માકુમારીઝ – બરવાળા સેવા કેન્દ્ર દ્વારા ત્રી દિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાશે* બ્રહ્માકુમારી બરવાળા સેવા કેન્દ્ર , શિવ સદન ,પટેલ શેરી બસ સ્ટેન્ડ રોડ , બરવાળા ખાતે ત્રી દિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ શિબિર તા.૫/૫/૨૫ થી તા.૭/૫/૨૫ સુધી સમય : સવારના ૮:૩૦ થી ૧૦:૩૦ કલાક રહેશે.શિબિર માં ભાગ લેનાર બાળક ની ઉંમર ૯ થી ૧૫ વર્ષ અને રજીસ્ટ્રેશન બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર પર તા.૪/૫/૨૫ સુધી માં ફરજિયાત કરાવવાનું રહેશે. આ શિબિરમાં પ્રેરણાદાયી કલાસ , સંસ્કાર અને સંસ્કૃતિ , ઓળખ સત્ય – અસત્ય ની , ભોજન નો પ્રભાવ મન પર અને બાળકો ને ચિત્ર ,સંગીત ,બૌધ કથાઓ ,જ્ઞાન સાથે ગંમત અને મેડિટેશન દ્વારા એકાગ્રતા માં વૃદ્ધિ અને સાંસ્કૃતિક જેવા કાર્યક્રમો થકી બાળકો માં રહેલ આંતરિક શક્તિ ખીલે અને બાળ વ્યક્તિત્વ નિખરે અને વિકાસ થાય તેવો ઉમદા હેતુ છે.આ શિબિર માં બાળકો ને ભાગ લેવા બરવાળા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા ઈશ્વરીય નિમંત્રણ છે. રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ હિરેન ખેરડીયા જસદણ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ