16 વર્ષીય સદાબેન હત્યાકાંડમાં યોગ્ય તપાસ ન થતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, તપાસ ન થાય તો ઉપવાસની ચીમકી વિછીયા તાલુકાના નાના માત્રા ગામે 16 વર્ષીય સદાબેનની થયેલી હત્યા અંગે યોગ્ય તપાસ ન થતા અને કેસને દબાવાની કોશિશ થઈ રહી હોય તેવી આશંકા વચ્ચે, કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા મામલતદાર કચેરી વિછીયામાં મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીએ તથા કલેક્ટરશ્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસને રી-ઓપન કરવાની માંગ કરવામાં આવી છે.આગેવાનોના જણાવ્યા અનુસાર, દોષિતોને કડક સજા થાય અને આવનારા સમયમાં એવા બનાવો ફરી ન બને, એ હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે.આવેદનમાં ચિમકી અપાઈ છે કે જો તારીખ 15 સુધીમાં યોગ્ય તપાસ શરૂ નહીં થાય, તો વિછીયા મામલતદાર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધારણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના મુખ્ય મુકેશભાઈ રાજપરા, અરવિંદભાઈ રાજપરા, રસિકભાઈ રોજાસરા, લાલાભાઈ રાજપરા અને ભગીરથભાઈ વાલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – કિશન પ્રજાપતી. રસિક વિસાવળીયા



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ