……………………………………………………….
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલ ન્યાય મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આમ જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબશ્રી તથા રજીસ્ટારશ્રી એમ.બી. પંડ્યા સાહેબ તથા સરકારી વકીલ શ્રીમતી કે.એમ.ચૌધરી સાહેબ તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા સાહેબ તથા ન્યાયાલયના તમામ કર્મચારીગણો તેમજ જસદણ બાર એશોસિયનના વકીલશ્રીઓ હાજર રહી ન્યાય મંદિરના પટણાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ તકે જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને માહિતી માર્ગદર્શન આપેલ અને વૃક્ષારોપણ અને તેના ઉછેરથી માનવજાત અને પૃથ્વી માટે થતા ફાયદાઓ વિશે માહિતગાર કરેલ.
આમ જસદણ ન્યાયાલયમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે જસદણ ન્યાયાલયના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી ડી.એમ પરમાર સાહેબે સૌનો આભાર વ્યક્ત કરેલ.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ