હાલ કોરોના વાયરસના પગલે દેશભરમાં વિવિધ ધર્મોનાં ધાર્મિક સ્થળો પર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે ત્યારે આગામી ઈદના તહેવારને અનુલક્ષી વાંકાનેર શહેર પોલીસ મથકે મોરબી DySP ના અઘ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં સર્વ અધિકારીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ વાંકાનેર શહેર અને પંથકનાં મુસ્લિમ બિરાદરોને આગામી રમઝાન ઈદની નમાઝ મસ્જિદના બદલે પોતપોતાના ઘરે જ પઢવા અનુરોધ કર્યો હતો. તેમજ કોરોના વાયરસની તકેદારીના અન્ય સુચનોનું પાલન કરવા પણ અપીલ કરી હતી. આ બેઠકમાં મોરબી DySP DG ચૌધરી, શહેર PI હર્ષવર્ધન રાઠોડ, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, મહંમદ રાઠોડ, અબ્દુલભાઈ હાલા, કારૂભાઈ ચૌહાણ સહિત મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ