કેશોદ: કેશોદ શહેરમાં સરકાર દ્વારા કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ ની ગાઈડ લાઈન મુજબ ઓડ-ઈવન પધ્ધતિ નો કેશોદ શહેરમાં વિરોધ કરવામાં આવ્યો છે. આજરોજ કાપડબજારમાં એકી બેકી સંખ્યા મુજબ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. કેશોદ શહેરમાં કટલેરી નાં વેપારીઓ અને મોબાઈલ એશોશીએસન દ્વારા ધંધા રોજગાર બંધ રાખી લેખિત રજૂઆત કરી હતી. સરકાર દ્વારા સત્વરે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કેશોદ સજ્જડ બંધ રાખવાની ચીમકી આપી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ લગાવવામાં આવેલાં સ્ટીકરો માં વ્હાલાં દવલાની નિતિ રાખી એક જ ધંધાનાં સ્થળે એકી બેકી બન્ને સ્ટીકરો લગાવી વિવાદ માં આવ્યા છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ