Nari Aawaj

News Website

*જામનગર માં ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ તંત્રની બેદરકારી કે લોકોમાં જાગૃતિનો અભાવ!!?*

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 20 Second

જામનગરમાં ગરીબોની ગુજરી બજાર જે દર રવિવારે જીવન જરૂરિયાત સમાન સામગ્રી કપડા બુટ ચંપલ વાસણો ફળ ફ્રૂટ બકાલા વગેરે નું મધ્યમ ગરીબ વ્યક્તિઓ બજાર એટલે ગુજરી બજાર જે જામનગરના વિક્ટોરિયા પુલ હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી ભરાય છે જ્યાં આજે પણ તેવી રીતે ભાર ભીડ ગીરદી કોરોનાવાયરસ અંતર્ગત મા મંદીના માહોલમાં જોવા મળી છે ત્યારે કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળી રહ્યો હોય તેમ તસવીરો મા લોકો ગિરદી સાથે જોવા મળે છે જે જામનગરના જિલ્લા કક્ષાના અધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં નિષ્ફળ નીવડયા હોય અને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવી હોય તેવું લાગી રહ્યું છે હાલ જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોય તેને દંડ ફટકારવામાં તંત્ર નબળું પડતું નથી અને સ્થાનિક લોકો પણ આવી ભયંકર ચિંતાજનક મહા મારી એવા કોરોના વાયરસ માં જનજાગૃતિ અભિયાન સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં પણ નિષ્ફળ રહ્યું છે ત્યારે માસ્ક વગર નીકળતા વાહનચાલકોને કે રાહદારીઓને તંત્ર દ્વારા રૂપિયા 200 દંડ ફટકારી રહ્યું છે તેના બદલે લોકોને જાગૃત કરી માસ્ક વિતરણ કરવું જોઈએ પ્રજાહિત અને રાષ્ટ્રન હિત માટે ધંધા-રોજગાર ધમધમતા થાય બેરોજગારો રોજીરોટી વાળા થાય તેમ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે તેવા જિલ્લા કક્ષાના અધિકારીઓ એ પ્રયાસો કરવા જોઈએ અને તેને સફળ પણ બનાવવા માટે પ્રજાહિત સામાજિક સંસ્થાઓ અને પ્રજાએ પણ સહયોગ સહકાર આપી આપણા જામનગરને સ્વચ્છતા અને સુરક્ષિત રોગમુક્ત રાખવું જોઈએ તે આજના સમયની લાગણી અને માંગણી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love