ગુજરાત અને દેશભર મા કોરોના વાઇરસ નો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દાંતા તાલુકા મા ધન્વંતરી રથ આરોગ્ય વિભાગ તરફથી મુકવામાં આવ્યા છે આ રથ નું મુખ્ય કાર્ય લોકો ને આરોગ્ય ની દવાઓ અને ઉકાળા પૂરું પાડવા માટે કરાય છે ત્યારે અંબાજી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ મા 47 લોકો ના કોરોના ટેસ્ટ રેપિડ કીટ થી કરવામાં આવ્યા હતા જેમાં એક ભાઈ ને કોરોના પોઝેટીવ આવ્યો હતો, આ અગાઉ 6 લોકો ના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા , આમ કુલ 53 લોકો માથી 52 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા આજે અંબાજી ના બ્રહ્નમપુરી વિસ્તારમા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે રવિવાર અને સોમવાર ના રોજ બે દિવસ મા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી ચાલુ કરાઈ હતી જેમાં રવિવારે પ્રથમ દિવસે 27 લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં અંબાજી ના એક ભાઈ ને કોરોના પોઝેટીવ આવ્યો હતો અને આજે સોમવારે 20 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા કોઈ પોઝેટીવ કેસ આવ્યો ન હતો આ બાબતે ડોકટર તુષાર નિશાત,દાંતા, આરોગ્ય વિભાગ દ્રારા મીડિયા ને માહિતી આપવામાં આવી, હાલ અંબાજી ખાતે વધુ એક કોરોના એક્ટિવ કેસ નોધાયેલ છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ