હળવદ પંથકમાં જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ નથી પહોંચ્યા ત્યાં માનવ સેવા નું કાર્ય કરતી સંસ્થા માનવ સેવા આપે છે જે સતત હળવદ પંથકમાં જરૂરત મંદ ની મદદે રહી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે જેમાં દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે ગત તારીખ 1 10 2020 તારીખ 10 10 2020 સુધી એમ દસ દીવસનો કાર્યક્રમ હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં સ્વ. સુશીલાબેન વાસુદેવ ભાઈ જોશીના સ્મરણથૅ 1300 બાળકોને ભરપેટ તાજી સ્વાદિષ્ટ રસોઈ વિતરણ કરવામાં આવી હતી શાક રોટલી છાશ ઉમરા બટેટા બ્રેડ જુદી જુદી બાળકોને ગમતી વેરાયટીઓ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરી બાળકો ને ભરપેટ ભોજન કરાવી સ્વ. સુશીલાબેન વાસુદેવભાઈ જોશીને શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમ હળવદ રોટરી કલબ ઓફ હળવદ દ્વારા યોજવામાં આવ્યો હતો જેને સફળ બનાવવા માટે મનોજભાઈ જોશી અને દીપકભાઈ જોશીએ રોટરી ક્લબ ઓફ હળવદ સાથે માતાશ્રી ને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી બાળકોને આશિષ મેળવ્યા હતા અત્રે નોંધનીય છે કે હળવદ પંથકમાં છેવાડાના વિસ્તારમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પહેલા સખી દાતાઓના સહયોગથી અને સંસ્થા દ્વારા જરૂરતમંદો ને મદદ ની વહારે હળવદ પંથકમાં રોટરી કલબ હળવદ દ્વારા માનવ સેવા નું અનોખું કાર્ય થઈ રહ્યું છે જેમાં સેવાના રણ વિસ્તાર થી લઈ હળવદ શહેર ના દરેક વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ કરી નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ