(ઓતમ ધામેચા દ્વારા) વાંકાનેર: ગત તારીખ 10 12 2020 ના રોજ મોડી રાત્રે હવામાનમાં એકાએક પલટો આવ્યા બાદ અમીછાટણા અમદાવાદ વડોદરા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠા થી જીરાના પાકને નુકસાન મોટું થવાનો ભય ખેડૂતો અનુભવી રહ્યા છે હવામાન ખાતા દ્વારા માવઠું થવાની આગાઈ કરવામાં આવી હતી જે આગાઈ સાચી ઠરતા અમદાવાદ વડોદરા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત મોટા ભાગે અમીછાંટણા થવાથી જીરાના પાકને નુકસાન થવાનું ખેડૂતોએ જણાવ્યું છે ત્યારે આ કમોસમી વરસાદથી હાલ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને અમીછાટણા બાદ ઠંડી નો માહોલ ઠંડીની ઋતુમાં ફરી શિયાળો પોતાની ઋતુ મુજબ પકડ કરી રહ્યો હોય તેમ ભરશિયાળે કમોસમી વરસાદથી અમી છાંટણા થયા હતા જેથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 2020 નું વર્ષ મિક્સર ઋતુમાં રહ્યું હોય તેમ લોકો અનુભવી રહ્યા છે ત્યારે શિયાળામાં ચોમાસું ઉનાળો એમ એક સાથે ત્રણ ઋતુઓ લોકો અનુભવી રહ્યા છે જેથી રોગચાળાનો પણ લોકોમાં ભય જન્મ્યો છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ