Nari Aawaj

News Website

*લ્યો કરો વાત વીસ દિવસ સુધી જોડીયા માં અંધારપટ*

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 55 Second

“ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત છતાં લોકો ને વિકાસના પ્રકાશ નથી મળ્યા!!?” દરિયાઈ વિસ્તાર એવા જોડીયામાં મુખ્ય માર્ગોની સ્ટ્રીટલાઇટો સતત ૨૦ દિવસ સુધી બંધની બંધ રહેતા જોડિયા પંથક ના વ્યક્તિઓ ગામ પંચાયતમાં રાવ રજૂઆત કરેલ હોય છતાં વિકાસનું પ્રકાશ થયો ના હોય તેથી અંધારપટ ના કારણે મતદાર પ્રજા ને ચોરી અને અકસ્માતનો ભય રહ્યો છે જ્યારે આજના ટેકનોલોજી આધુનિક યુગમાં સરકાર દ્વારા છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસના વાવાઝોડા ફૂંકાયા છે ત્યારે દરિયા વિસ્તાર એવા જોડીયામાં સતત ૨૦ દિવસ સુધી સ્ટ્રીટલાઇટો બંધની બંધ રહેતા અંતે ગામ પંચાયત એ પીજીવીસીએલ નું લેણું ચડત હોવાના કારણે મતદાર પ્રજાને અંધારપટ માં રહેવું પડ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અંદાજે સાત લાખ રૂપિયાનું પીજીવીસીએલ નું લેણુ ચડત થયેલ હોય અને સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળેલ ના હોવાના કારણે pgvcl બિલ બાકી રહેલ છે પરંતુ ગામ પંચાયત દ્વારા જોડીયા ગામ ના ઘરદીઠ દર વર્ષે દીવાબત્તી વેરો ઉઘરાવવામાં આવે છે જે સ્ત્રી કલાક માટે લેવામાં આવે છે તો પછી સરકારી ગ્રાન્ટની રાહમાં લોકોને અંધારામાં રાખવા પાછળનું કારણ શું? અત્રે નોંધનીય છે કે જોડીયામાં પીજીવીસીએલ દ્વારા કોઈપણ ઘરનું રૂપિયા 2000 બાકી હોય તોપણ ઉઘરાણા કરવામાં આવે છે અને પાવર કટ પણ કરી નાખવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ છે કે ૧૭ લાખ સુધી રૂપિયા ચડી ગયા છતાં પીજીવીસીએલ દ્વારા કયા કારણોથી ઊઘરાણી કરવામાં આવેલ નથી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ કરવા માટે કર્મચારીઓને વ્યવસ્થા કરવા છતાં સ્ટ્રીટલાઈટ સવારના આઠથી નવ વાગ્યા સુધી ચાલુ રહેતી તે અંગે કર્મચારી સામે પગલાં લેવામાં આવશે!? કે પછી ઘરકી મૂર્ઘી દાલ બરાબર!!! દરિયાઈ વિસ્તાર એવા જોડિયા ગામમાં અંધારપટ વિસ્તારોમાં વિકાસ નો પ્રકાશ કયારે આવનાર સમય કહેશે હાલ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ચુપ રહેવાથી મતદાર પ્રજા પીજીવીસીએલ પંચાયત ના કારણે પરેશાન છે….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love