Nari Aawaj

News Website

*ખ્વાજા ગરીબ નવાઝ ની શાન મા ગુસ્તાખી કરનાર સામે કડક કાર્યવાહી ની માંગ કરતુ મુસ્લિમ એક્તા મંચ*

Views: 134
0 0
Spread the love

Read Time:1 Minute, 47 Second

ભાવનગર શહેર ના મુસ્લિમ બીરાદરો દ્વારા કલેક્ટર ને રજુઆત ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા ગુસ્તાખી કરનાર શખ્શ વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ મુસ્લિમ એક્તા મંચ દ્વારા કરાય છે વિશ્ર્વ પ્રસિધ્ધ સુફી સંત હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી( ર ત અ ) વિરુધ્ધ અપમાનજનક અને અભદ્ર ટીપણી કરનાર સાધુ જેવા લાગતા શૈતાન શખ્શ એ જેર ઓકી ગુસ્તાખી કરી સમગ્ર દેશની એકતા અને ભાઈચારા મા પલીતો ચાપવાનો પ્રયાસ કરતા તેના ભારતભરમાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે જેથી મુસ્લિમ એક્તા મંચ ગુજરાત ના અધયક્ષ ઈમ્તીયાઝ પઠાણ ની આગેવાની મા સમગ્ર ગુજરાત મા મુસ્લિમ બીરાદરો દ્વારા વિરોધ કરવામા આવી રહયો છે આજરોજ મુસ્લિમ એક્તા મંચ ભાવનગરના હોદેદારો સાજીદભાઈ તેલિયા, સલીમ કુરેશી,આકીબ બાવાણી, સાદીકભાઈ મનપસંદ, સલીમ હબીબાણી, મજીદ મકવાણા, આસીફ અજમેરી, આસીફ મીયાવા , એજાજ શેખ સહીતના આગેવાનો એ ભાવનગર જીલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવી જેર ઓકનાર શખ્શ વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરી કડક કાર્યવાહી ની માંગ કરાય હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love