Nari Aawaj

News Website

આલે લે જામનગર મહાનગર પાલિકાના પાપે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

Views: 96
0 0
Spread the love

Read Time:2 Minute, 7 Second

આલે લે જામનગર મહાનગર પાલિકાના પાપે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

જામનગરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ રાહદારીઓ વાહનચાલકો તોબા તોબા પોકારી ગયા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેમ જામનગર શહેરના મુખ્ય માર્ગો પર તબેલા ની માફક રખડતા ઢોરો નો તબેલો જોવા મળી રહ્યો છે જેથી અકસ્માતનું સતત ભય રહ્યો હોય તેવું લોકો મહેસૂસ કરી રહ્યા છે છતા તંત્રવાહકો પ્રજાની સમસ્યા ને હળવી કરવામાં નિષ્ફળ નિવડયુ હોય તેમ મહાનગરપાલિકામાં એર કન્ડિશન ઓફિસોમાં બેસીને પ્રજાની પીડા ના દેખાતી હોય તે રીતે તંત્ર દ્વારા કશું પ્રજાલક્ષી કામ થતું હોય તેમ હાલ ચિતાર જોવા મળ્યો છે જામનગર શહેરના ભરચક વિસ્તાર એવા દરબારગઢ ચાંદી બજાર જ્યાં દિવસ રાહદારી અને વાહન ચાલકોની સતત અવર જવર હોય તેવા વિસ્તારમાં જ સમસ્યાઓથી લોકો તોબા તોબા કર્યા છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનાર આંખ આડા કાન કરીને બેઠા હોય તેમ હાલ જામનગરની સમસ્યાનો ચિતાર રહ્યો છે અત્રે નોંધનીય છે કે છાશવારે ખુટીયા યુદ્ધ ના કારણે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તો અમુક શહેર-જિલ્લામાં આવા ખુટીયા યુદ્ધના કારણે મૃત્યુ પામેલા છે તે ભૂલવું ના જોઈએ જામનગર શહેરમાં વિદ્યાર્થીઓ વૃધ્ધો આવા માર્ગ પર નીકળતા સતત ભયના ઓથાર હેઠળ ડરી રહ્યા છે મહાનગર પાલિકા તંત્ર મોટા કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. કે પછી વિકાસ માત્ર કાગળો પર!? રિપોર્ટ હસનશા દરવેશ જામનગર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love