Nari Aawaj

News Website

જસદણના 3 યુવાનો સાઈકલ લઈ દ્વારકા જવા નીકળ્યા..

Views: 108
0 0
Spread the love

Read Time:1 Minute, 42 Second

જસદણ શહેરના સાયકલ કલબનાં ૩ ઉત્સાહ યુવાનોએ બેટી બચાવો,પર્યાવરણ બચાવો તેમજ આપણો દેશ કોરોના જેવી મહામારીમાંથી ઝડપથી બહાર નીકળે અને દરેક લોકો સુખ-શાંતિથી જીવન જીવે તે માટે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જસદણ થી ૩૦૦ કિલોમીટર દૂર દ્વારકા જવા નીકળેલ.આ યુવાનોમાં (૧) યોગેશભાઈ સખીયા-મિત સાયકલ(૨) રાજુભાઈ વેકરિયા-માર્શલ (3) બિરજુભાઈ જસાણી એમ ત્રણેય સાયકલવીરોએ એક અનોખી પહેલ કરી છે. આમ આ સાયકલ વીરોને વલ્લભભાઈ વેકરિયા દ્વારા લીલીઝંડી આપવામાં આવેલ.આ ત્રણેય સાયકલ વીરોને સંજયભાઈ હિરપરા( શક્તિ ), મનીષભાઈ મેવાસીયા,રોહિતભાઈ હિરપરા, રાજેશભાઈ વેકરીયા-અર્જુન ઇન્ડ્રસ્ટ્રીઝ અનિલભાઈ વેકરીયા-અનિલ ઇન્ડ્રસ્ટ્રીઝ અને જસદણ કોટડીયા હોસ્પિટલ-ડોક્ટર હાઉસના તમામ ડોક્ટર સાહેબો તેમજ જસદણ સાઇકલના ટીમના તમામ મેમ્બરે અભિનંદન આપેલ. આમ જસદણ સાઇકલના મેમ્બરો સાયકલિંગ દ્વારા વિવિધ સંદેશો તેમજ હેલ્થ-વેલ્થ અને સાયકલિંગ થતા ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે તેવું જસદણ સાયકલના મેમ્બર અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love