જસદણ તાલુકા કાનૂની સમિતિ ના સેક્રેટરી શ્રી રાયજાદા એક યાદી માં જણાવે છે કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઇકોર્ટે ના આદેશ મુજબ તેમજ રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન શ્રી ઉત્કર્ષ દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ”આઝાદી કા અમ્રત મહોત્સવ” ના આયોજનના ભાગ રૂપે તા – ૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી જસદણ તાલુકાના ગામોમાં કાનૂની શિક્ષણ શિબિર ના આયોજન કરવામાં આવશે. સરકાર શ્રી ની વિવિધ લાભકારી યોજનાઓ ની માહિતી આપવામાં આવશે. આ ઉત્સવ ના આયોજન માટે જસદણ તાલુકા કાનૂની સમિતિ ના ચેરમેન શ્રી પી.એન.નવીન નાઓ એ સિવિલ જજ શ્રી એસ.એસ.જાની ની અધ્યક્ષતા માં ૨૫ સભ્યો ની કમીટી બનાવી છે જેમાં સીનીયર વકીલ શ્રી ઓ, કાયદાવિદ્, લો સ્ટુડન્ટસ અને સામાજિક કાર્યકરો નો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી છે.
…………………………………. “આઝાદી કા અમૃત મહોત્સવ ” ના આયોજનમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન. ………………………………….
Views: 126
Read Time:1 Minute, 21 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ