Nari Aawaj

News Website

પ્લેન ક્રેશ :– સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ ક્રેશ.

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 6 Second

પ્લેન ક્રેશ :– સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ ક્રેશ.

IGB ગ્રાઉન્ડ ખાતે ભીષણ દુર્ઘટના, રાહત કામગીરી ચાલુ અમદાવાદ,

૧૨ જૂન ૨૦૨૫ અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ થી લંડન જવા ઉપડેલી એક ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક I.G.B ગ્રાઉન્ડ ખાતે ક્રેશ થયું છે,

સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ ફ્લાઇટમાં ૨૩૮ જેટલા મુસાફરો સવાર હતા, જોકે અન્ય એક માહિતી મુજબ ૧૩૬ યાત્રિકો હોવાનું જણાવા મળી રહ્યું છે,

ઘટનાસ્થળેથી ભીષણ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે,આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ, મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે,

અમદાવાદ એરપોર્ટ સત્તાવાળાઓ અને સંબંધિત વિભાગો દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને હજુ સુધી જાનહાનિ કે ઇજા અંગેની કોઈ સત્તાવાર માહિતી કે આંકડા જાહેર કરવામાં આવી નથી,

વિમાન કયા કારણોસર ક્રેશ થયું તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે, આ ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં અવર જવર ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યું છે,

ઘટના અનુસંધાને વધુ વિગત અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love