Nari Aawaj

News Website

વાંકાનેરમાં નદીના પટમાંથી હત્યા કરાયેલી લાશ મળી

Views: 82
0 0
Spread the love

Read Time:1 Minute, 30 Second

વાંકાનેર : લોકડાઉનના ભારે બંદોબસ્ત વચ્ચે વાંકાનેરમાં નદીના પટમાંથી માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યાના આ બનાવની તપાસ હાથ ધરી છે. લોકડાઉનની સ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે વાંકાનેરમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં એક લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર સીટી.પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. સ્થળ તેમજ લાશ નિરીક્ષણ પરથી મૃતક હસમુખ ઉર્ફે ડુટારો ધનજી માંડલિયા દેવિપુજક હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકનું માથું કોઈ બોથડ પદાર્થ કે પથ્થરથી છૂંદી નાખવામાં આવ્યું હતું. વાંકાનેર સીટી પી.આઈ. એચ.એન.રાઠોડ, સીટી પીએસઆઈ પી.સી.મોલિયા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પી.આઈ. વી.બી. જાડેજા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બનાવના મૂળ સુધી પહોંચવાની તજવીદ આદરી છે, તેમજ ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love