આરોગ્ય સેતુ એપ્સ ડાઉનલોડ કરવા ની સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ અંગે માહિતી અપાઇ રાજકોટના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જનજાગૃતિ અભિયાન કોરોના પરિસ્થિતિ અંગે ચલાવવામાં આવી રહ્યું છે આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જિલ્લા યુવા સંયોજન શ્રી સચિનભાઈ પાલ અને રાજેશ રાઠોડ ના ના માર્ગ દર્શનથી રાજકોટના સ્વયંસેવકો એશ્વર્યા નિમાવત, યશ રાઠોડ, દીશા પોકિયા, ધારા ભાડજા આ વૈશ્વિક મહામારી સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સ્વયંસેવકો લોકોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવીને તથા ભારત સરકારની આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી ને જાગૃતિ ફેલાવી રહ્યા છે. લોકોને માસ પહેરવાની તથા આ કપરા સમયમાં બાળકો તથા વૃદ્ધ લોકોની દેખભાળ રાખવા ખાસ અપીલ કરી રહ્યા છે. એપમાં વિવિધ ટ્રેનિંગમાં લોકોને છોડી રહ્યા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું મહત્વ સમજાવીને લોકડાઉન પછી પણ તે જાળવવા માટે માહિતી આપી રહ્યા છે. સ્વયંસેવકો દ્વારા માસ્ક નું વિતરણ પણ કરવામાં આવેલ હતું.
નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા જનજાગૃતિ અભિયાન
Views: 128
Read Time:1 Minute, 41 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ