અકસ્માતે વિકલાંગતા અને એકલવાયુ જીવન જીવતા જીવરાજભાઈ ને સાયકલ તેમજ રાશનકીટ અર્પણ કરવા મા આવી મોરબી ની પાવન ધરતી પર માનવસેવા જ્યોત પૂ.હરજીવનભાઈ દીવાકરે વર્ષો પહેલા હરિહર અન્નક્ષેત્ર ની સ્થાપના કરી પ્રજલ્લવિત કરી હતી. હજારો લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરનાર પૂ.હરજીવનભાઈ નુ અવસાન થયા બાદ તેમના સેવાકાર્ય તેમજ સુખ દુ:ખ ના સાથી જીવરાજભાઈ મોરસાણીયા એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે ત્યારે વિધી ની વક્રતા કહો કે કુદરત નો કહેર કહો, એક અકસ્માત મા જીવરાજભાઈ ના પગ ક્ષતિગ્રસ્ત થયા અને તેમને કાયમી સેવરૂપે વિકલાંગતા આવેલ છે ત્યારે તેમની આ પરિસ્થિતી ની જાણ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી ને થતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનો દ્વારા માનનિય જીવરાજભાઈ ને સાયકલ, સ્ટીક તેમજ રાશનકીટ અર્પણ કરી પૂ. હરજીવનભાઈ દીવાકર ને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત શ્રી જલારામ પ્રાર્થના મંદિર આજીવન જીવરાજભાઈ તથા પૂ.હરજીવનભાઈ (હરીહર અન્નક્ષેત્ર ના સ્થાપક) ના તમામ સહયોગીઓ માટે હરહંમેશ તત્પર છે તેમ શ્રી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ હતુ.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ