Nari Aawaj

News Website

માંડવીમાં પત્રકાર પરના હુમલાને મોરબીના પત્રકારોએ વખોડી કાઢ્યો

Views: 98
0 0
Spread the love

Read Time:1 Minute, 30 Second

કચ્છના માંડવીમાં પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં મોરબીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકારોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરી છે તાજેતરમાં કચ્છના માંડવીના ભીડ બજારમાં પત્રકાર સુરેશ ગોસ્વામી પર એડવોકેટ ખેરાજ એન રાગ અને અન્ય બે ઇસમોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવને મોરબી જીલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમારા વિરુદ્ધ લખે છે કહી જો હુમલો કરવામાં આવે તો તે અખબારી આલમ પર મોટી તરાપ છે અને લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારની કલમને રોકવાનો હીન પ્રયાસ છે જેથી હુમલો કરનાર સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા બનાવો ના બને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ અગાઉ રાજકોટના પત્રકાર પર પરપ્રાંતીય ઇસમોના ટોળાએ હુમલો કર્યો હતો અને પત્રકાર પર અવારનવાર આવા બનાવો બને છે જે રોકવા કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love