વાંકાનેર તાલુકા ખીજડીયા ગામ માં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેવી ફરિયાદ સ્થાનિક લોકોએ સરપંચ સમક્ષ અવારનવાર કરી છે છતાં તે અંગે ખીજડીયા ગામના સરપંચ આંખ આડા કાન કર્યા હોય તેમ ગામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે છેલ્લા એક વર્ષથી મુખ્ય માર્ગ એવા કલાવડી અને રાજકોટ તરફ નો માર્ગ આવેલો છે ત્યાં સ્વચ્છતાનો અભાવ હોય તે રીતે ગંદકીના કારણે સતત મચ્છરોનો ઉપદ્રવ રહે છે અને ગંદકી ની દુર્ગંધ ગ્રામ્ય વિસ્તારમાં ફેલાઈ રહી હોવાથી સાંજે જમવા ના ટાઈમે જમવાના ધન દુર્ગંધ કારણે ઉલટી વામીટ ના કારણે થાય છે જેથી ખીજડીયા માં રહેતા સ્થાનિકો ને કોરોના વાયરસ જેવા નો ગંભીર ભય રહ્યો છે ખીજડીયા થી નજીક આવેલા સીંધાવદર માં કોરોના નો કેસ નોંધાયાના સમાચાર સાંભળી રહ્યા છે ત્યારે તેનાથી દૂર બે કિલોમીટરના અંતરમાં ખીજડીયા ગામ ખાતે ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષથી સ્વચ્છતાનો અભાવ હોય જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે જેમાં સેલા ભાઈ ભરવાડ લીલાભાઈ ભરવાડ જાદા મેગા વલ્લભ છગન જેન્તી છગન રામજી વાલજી અબ્દુલ અમી પરાશરા મામદ અમી હુસેન જલાલ લતા મેપા વગેરે જણાવ્યું છે ગંદકી ના કારણે અમો સ્થાનિક લોકોને જમવાના સમયે આવતી દુર્ગંધ ના કારણે ભારે હાલાકી પડી રહી છે અને મચ્છરોના ઉપદ્રવથી શરીરમાં ખંજવાળ પણ આવે છે જેથી તે ખીજડીયા વિસ્તાર માં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે નોંધનીય છે કે હાલ કોરોનાવાયરસ અંતર્ગત લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે આત્મનિર્ભર ની વાતો કરનાર સરકાર સ્વચ્છતાનું કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી ખરા અર્થે સ્વચ્છતા કરે અને ગ્રામ્ય. વિસ્તારમાં લોકો રોગનો ભોગ બને નહી એવા પ્રયાસ જરૂરી છે હાલ વાંકાનેરનાં ખીજડીયા ગામ માં ગંદકીનું સામ્રાજ્ય ના કારણે કોઈ રોગનો ભોગ બને તે પહેલા તંત્ર જાગશે ? એવો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાં ઉઠવા પામ્યો છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ