Nari Aawaj

News Website

*ગૌચર બચાવો,દબાણ હટાવો”માલધારી સેનાએ ગૌચર હટાવવા બાબતે 33 જિલ્લાઓમાંથી આવેદન પત્ર આપ્યું*

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 35 Second

ગુજરાત માલધારી સેનાના વાંકાનેર તાલુકા પ્રમુખ ભનુભાઈ ઓળકીયા એ વાંકાનેર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી ગૌચર દબાણ હટાવવા કરી રજુવાત વાંકાનેર:ગુજરાત માલધારી સેનાએ સમગ્ર ગુજરાત માંથી તાલુકા વાઇઝ મામલતદાર ને તેમજ જિલ્લામાંથી કલેકટર ને આવેદન પત્ર પાઠવી ગૌચર જમીનો ઉપરથી દબાણો દૂર કરવા રજુવાત કરી હતી. વાંકાનેર મામલદાર તેમજ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવતા વાંકાનેર માલધારી સેનાના પ્રમુખ ભનુભાઈ એ એક પ્રેસ યાદીમાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ મુજબ ગામડાઓમાં ક્યાંય ગૌચર જમીન રહી નથી,માલધારી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પશુ ચરિયાણ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ ગૌચર જમીનો ઉપર દબાણો થઈ ગયા છે જેથી આ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી માલધારી લોકોને ન્યાય મળે એ જરૂરી છે. ગૌચર દબાણ દૂર કરવા માટે મામલતદાર દ્વારા ટૂંક સમયમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમગ્ર જિલ્લામાંથી માલધારી સેનાના યુવાનો રસ્તા રોકો આંદોલન કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love